બંધ

    ઇતિહાસ

    સાબરકાંઠા જીલ્લો વર્ષ ૧૯૭૬ માં અસ્તિત્વમાં આવ્યો હતો. નામ પરથી જ ખ્યાલ આવે છે કે તે સાબરમતી નદીના કિનારે આવેલું છે. સાબરકાંઠા જીલ્લો ઉતરપૂર્વમાં રાજસ્થાન રાજ્ય, પશ્ચિમમાં બનાસકાંઠા અને મહેસાણા જીલ્લા, દક્ષિણમાં ગાંધીનગર અને દક્ષિણપૂર્વ માં અરવલ્લી જીલ્લાથી ઘેરાયેલો છે. સાબરકાંઠા જીલ્લાનું મુખ્ય મથક હિંમતનગર છે. તે રાજ્યના પાટનગરથી લગભગ ૬૦ કિલોમીટર અને રાજ્યના મેટ્રોપોલીટન શહેર અમદાવાદથી લગભગ ૭૮ કિલોમીટર દુર છે.

    સચોટપણે કહીએતો તાજેતરની વસ્તી ગણતરી પ્રમાણે સાબરકાંઠા જીલ્લાની કુલ વસ્તી લગભગ ૧૪,૭૩,૬૭૩ છે, જેમાં આદિવાસી સમુદાય અને સમાજના સામાજિક રીતે પડકારગ્રસ્ત વર્ગનો નોંધપાત્ર હિસ્સો છે. સાબરકાંઠા જીલ્લા માં હિમતનગર, પ્રાંતિજ, તલોદ, ઇડર, વડાલી, ખેડબ્રહ્મા, વિજયનગર અને પોશીના એમ કુલ ૮ તાલુકા આવેલા છે.

    નવા રચાયેલા સાબરકાંઠા જીલ્લાની જીલ્લા અને સત્ર અદાલતે ૧૦ મી ડીસેમ્બર ૧૯૭૬ના રોજ કામ કરવાનું શરુ કર્યું. તે પહેલા સાબરકાંઠા અમદાવાદ જિલ્લામાં હતું અને તે ૧૦ મી ડીસેમ્બર ૧૯૭૬ના રોજ અલગ થતા સાબરકાંઠા જીલ્લાની સ્વતંત્ર અદાલતોએ પુરજોશમાં કામ કરવાનું શરુ કર્યું. માનનીય શ્રી સી.જી.રાઠોડે નવા બનેલા સાબરકાંઠા જીલ્લાના પ્રથમ જીલ્લા ન્યાયાધીશ તરીકે કાર્યકાળ સંભાળ્યો હતો.